વડગામ : બનાસકાંઠા જિલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ અને ભાજપના મહિલા અગ્રણી કુમુદબેન જોષી તથા પાલનપુર શહેર પ્રમુખ સાથે ભાજપના આગેવાનો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ગંભીર આક્ષેપ કરતા જિલ્લા પોલીસવડાને લેખિતમાં રજૂઆત કરીને આમ આદમીના કાર્યકર સામે કાયદેસરની કાર્યવાહી કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કુમુદબેન જોષીના ફેસબુક એકાઉન્ટના પેજ ઉપર આમ આદમીના કાર્યકર જીતેન્દ્ર નેગી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ગંભીર આક્ષેપ કરીને ગોધરા કાંડના માસ્ટર માઇન્ડ સાથેના ગંભીર આક્ષેપ કરતાં ભાજપ આગેવાનો લાલઘુમ બન્યા છે.જેને લઇને ભારતીય જનતા પાર્ટીના મહીલા અગ્રણી અને બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી કુમુદબેન જોષી, પાલનપુર શહેર ભાજપ પ્રમુખ દિનેશભાઇ પટેલ,શહેર ભાજપ ઉપાધ્યક્ષ મનોજભાઈ રાવલ,શહેર ઉપાધ્યક્ષ શ્રીમતી પ્રફુલાબેન પટેલ,શહેર મહિલા મોર્ચા પ્રમુખ શ્રીમતી જાગૃતિબેન મહેતા તથા અનુસૂચિત સમાજ વડગામ ભાજપા યુવા અગ્રણી દિપકભાઇ પંડયા તથા યુવા અગ્રણી સાહિત્યકાર સુરેશભાઈ ચૌરાસિયા સહીત ભાજપના આગેવાનો દ્વારા બનાસકાંઠા જિલ્લા પોલીસવડા તરુણ કુમાર આવેદનપત્ર આપીને આમ આદમી પાર્ટીના કાર્યકર સામે કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી છે.