રાજકોટ-

રાજકોટ જિલ્લામાં આવેલા કટલેરી બજારમાં બ્લાસ્ટ થતા બે વ્યક્તિના મોતનાં સમાચાર છે.શહેરની ઉપલેટા કટલેરી બજારમાં ભંગારની દુકાનમાં કામ કરતા બે વ્યક્તિઓના બ્લાસ્ટ થતાં મોત થયા છે. જો કે આ ઘટના અંગેની જાણ થતાં જ પોલીસ અને ૧૦૮નો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

બ્લાસ્ટનો અવાજ સંભળાતા જ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં એકઠા થઈ ગયા હતા.કટલેરી બજારમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં પિતા-પુત્રનું મોત થયું હોવાનું સામે આવ્યું, ઘટનાસ્થળે પહોચેલી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.