કેરલમાં ભૂખી ગર્ભવતી હાથણીને અનાનસમાં ફટાકડા ખવડાવવાથી થયેલી મોત પર લોકોમાં રોષ જાવા મળી રહ્યો છે. જેમા બોલિવૂડ સ્ટાર્સપણ પાછળ રહ્યા નથી. બોલિવૂડ સ્ટાર્સે આ ઘટના પર  ટ્‌વીટ કરી ગુસ્સો વ્યક્ત કરવાની સાથે દુઃખ પણ વ્યક્ત કર્યું છે. સ્ટાર્સે ટ્‌વીટ કરી હાથણી સાથે થયેલી હેવાનિયતને હત્યા ગણાવી ન્યાયની માંગ કરી છે. આ ઘટના પર અક્ષય કુમારે લખ્યું, ‘પ્રાણીઓ મનુષ્ય કરતા ઓછા જંગલી હોય શકે. આ હાથણી સાથે જે થયું તે આઘાતજનક, અમાનવીય અને અસ્વીકાર્ય હતું! દોષિતો સામે કડક કાર્યવાહી થવી જાઇએ. અક્ષય કુમાર સિવાય ઘણા સ્ટાર્સે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે કેરલના સાઇલેંટ વેલી ફોરેસ્ટમાં એક ગર્ભવતી હાથણી માનવ ક્રુરતાનો શિકાર થઇ છે. હાથણીન મોંમાં ફટાકડાથી ભરેલું અનાનસ ફાટી ગયું. હાથણીના જડબા ખરાબ રીતે ફાટી ગયા અને તે ખાઇ પણ શકતી ન હતી. આખરે ગર્ભવતી હાથણીનું મોત થઇ ગયું, મુખ્ય વન્યજીવ વોર્ડન સુરેન્દ્ર કુમારનું કહેવું છે કે માનવામાં આવી રહ્યુ છે કે ફટાકડા ભરેલું અનાનસ હાથણીને મારવાના ઇરાદાથી ખવડાવવામાં આવ્યું હતું મળતી માહિતી મુજબ હાથણીનું મોત ૨૭ મેંએ મલપ્પુરમ જિલ્લામાં વેÂલ્લયાર નદીમાં થયું.