નવી દિલ્હી
ફૂટબોલર ડિયેગો આર્મેન્ડો મેરાડોનાના નિધન પર અનેક બોલિવૂડ સેલેબ્સે શોક વ્યક્ત કર્યો છે. શાહરુખે મેરાડોનાને યાદ કરીને કહ્યું હતું, 'ડિયેગો મેરાડોના...તમે ફૂટબોલને ઘણું જ સુંદર બનાવી દીધું હતું. તમે બહુ જ યાદ આવશો. આશા છે કે તમે અહીંયા જે રીતે લોકોનું મનોરંજન કર્યું, તે જ રીતે સ્વર્ગમાં પણ તમામને મંત્રમુગ્ધ કરશો. તમારી આત્માને શાંતિ મળે.'
અજયે ભાવુક થઈને કહ્યું હતું, 'અનેક વર્ષો સુધી મેરાડોનાની રમત તથા જીવનને ફોલો કર્યું હતું. 'મૈદાન' (અજયની અપકમિંગ ફિલ્મ) આ રમતને નજીક લઈ આવી. તે ફૂટબોલના દિગ્ગજ તથા પેશનેટ સ્પોર્ટ્સમેન હતા. તેમના જવાથી દુઃખી છું. તેમની આત્માને શાંતિ મળે.'
પ્રિયંકાએ પોતાની પોસ્ટમાં કહ્યું હતું, 'ડિયેગો મેરાડોના તમારી આત્માને શાંતિ મળે. અત્યાર સુધીના સૌથી મહાન ફૂટબોલ પ્લેયર્સમાંથી એક. સાચા લિજેન્ડ.'
રણવીર સિંહે પણ શ્રદ્ઘાંજલિ અર્પણ કરી હતી
શેખર કપૂરે કહ્યું હતું, 'તમારી આત્માને શાંતિ મળે મેરાડોના...પેલે પછી ફૂટબોલના સૌથી મહાન જીનિયસ.'
મહેશ બાબુએ કહ્યું હતું, 'દિગ્ગજનું નિધન...તમારી આત્માને શાંતિ મળે ડિયેગો મેરાડોના.'
પ્રોડ્યૂસર બોની કપૂરે કહ્યું હતું, 'સારો ફૂટબોલર જતો રહ્યો. 'મૈદાન'ની ટીમ ડિયેગા મેરાડોનાના નિધન પર શોક વ્યક્ત કરે છે. દિગ્ગજ ક્યારેય મરતા નથી, તેમની વિરાસત હંમેશાં રહે છે.'
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments