ગાંધીનગર-

રાજ્યમાં સરકારી શિક્ષકો દ્વારા ચાલી રહેલા #4200 ગ્રેડ પે આંદોલન આજે રાજ્યના શિક્ષકો દ્વારા black friday ડે તરીકે વિરોધ કરવામાં આવી રહ્યો છે શિક્ષકો કાળા કપડાં પહેરી આ વિરોધ કરી રહ્યા છે છે વિરોધ કરી રહ્યા છે છે આ પહેલા શિક્ષકો દ્વારા ઓનલાઈન કેમ્પઈન કરી રાજ્ય સરકારની વર્ષે 2010 પછી ભરતી થયેલા શિક્ષકો માટે ગ્રેડ પે આપવાની નીતિનો વિરોધ કરવામાં આવ્યો હતો. બાદ પ્રતીક ઉપવાસ અને હવે કાળા કપડાં પહેરી વિરોધ કરી રહ્યા હતા. દરમિયાન શિક્ષકોના આંદોલનથી ડગેલી સરકારે આજે આ પરિપત્ર રદ કર્યો છે. 

200 ગ્રેડ પેને લઈને રાજ્યના શિક્ષકો રાજ્ય સરકારની સામે આંદોલન પર ઊતરી આવ્યા હતા. શિક્ષકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી 4200 ગ્રેડ પેની માંગ સાથે આંદોલન શરૂ કર્યું હતું. રાજ્યના શિક્ષકોએ ઘરે બેઠા ઉપવાસ આંદોલન કરી અને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી આંદોલનને આગળ વધાર્યું હતું. શિક્ષકોના આંદોલનને લઈને રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમની અધ્યક્ષતામાં પ્રાથમિક શિક્ષક સંઘના સભ્યો સાથે બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં શિક્ષણ મંત્રી દ્વારા રાજ્ય સરકારે 25-6-2019ના પરિપત્રને રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. આ પરિપત્ર રદ્દ થવાના કારણે 2010 પછી ભરતી થયેલા તમામ શિક્ષકોને 4200 ગ્રેડ પેનો લાભ મળશે. આ બાબતે રાજ્ય સરકાર દ્વારા આગામી દિવસોમાં નવો પરિપત્ર જાહેર કરવામાં આવશે. 

આ મામલે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે આ મામલે રાજ્યના પ્રાથમિક શિક્ષકોના શૈક્ષણિક સંઘ અને અન્ય બંને સંઘ સાથે ચર્ચા કરી. છેલ્લા 15 દિવસમાં અમારે ઘણી ચર્ચા કરી છે. સરકારે 25-6નો આ પત્ર સ્થગિત કરીને તેની અમલવારી મોકૂફ રાખી છે. ભૂતકાળમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે તમામ વર્ગ અને શિક્ષકોનું અહીત ન થાય તેનું ધ્યાન રાખ્યું છે. આ મુદ્દે પણ આજે અને ભવિષ્યમાં વ્યક્તિગત કે સામૂહિક શિક્ષકને આર્થિક નુકશાન ન જાય તેનું રાજ્યસરકાર ધ્યાન રાખશે'