દિલ્હી-

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન એપ્રિલ મહિનાના અંતમાં ભારત આવશે. ભારત યાત્રા દરમિયાન મહત્ત્વપૂર્ણ કરાર થશે. આપને જણાવી દઈએ કે, ભારતે બોરિસ જોનસનને 26 જાન્યુઆરીએ દિલ્હીમાં થનારી પરેડમાં મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કર્યા હતા, પરંતુ બ્રિટનમાં કોરોનાના વધતા સંક્રમણના કારણે તેઓ અહીં હાજર રહી નહતા શક્યા. જોકે, ત્યારબાદ બોરિસ જોનસને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કરીને દુઃખ પણ વ્યક્ત કર્યું હતું. ગયા વર્ષે ભારતમાં નિયુક્ત થયેલા બ્રિટનના નવા હાઈ કમિશનર એલેક્સ એલિસે જણાવ્યું હતું કે, બોરિસ જોનસન નવી દિલ્હીની યાત્રાએ આવવાના હોવાથી આ માટે તૈયારી થઈ રહી છે. જી7 અને કોપ26 સંમેલન માટે ભારતનું સ્વાગત કરવાની પ્રાથમિકતા છે. બ્રિટનમાં જૂનમાં થનારા જી7 સંમેલનમાં વડાપ્રધાન મોદીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ગયા મહિને બ્રિટને વડાપ્રધાન મોદીને આમંત્રિત કર્યા હતા.