રાજપીપળા/ઝઘડિયા : બિટીપીના સર્વે સર્વા છોટુભાઈ વસાવાએ ખેડૂત આંદોલનને પોતાનું સમર્થન જાહેર કર્યું છે.બિટીપી ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ સોશિયલ મીડિયાના માધ્યમથી ખેડૂત આંદોલન મુદ્દે સરકારને ખુલ્લી ચેતણવી આપતા ખળભળાટ મચ્યો છે.છોટુભાઈ વસાવા છેલ્લા ઘણા સમયથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના આદીવાસીઓ માટે આંદોલન કરી રહ્યા છે.એમના એ જ આંદોલને ગુજરાત સરકારના નાકમાં દમ કરી નાંખ્યું છે, ત્યારે છોટુભાઈ વસાવાએ ખેડૂત આંદોલનને પોતાનું સમર્થન આપતા તંત્ર એલર્ટ થઈ ગયું છે.

બિટીપીના સર્વે સર્વા છોટુભાઈ વસાવાએ સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે મારી ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈત સાથે વાત થઈ છે.મેં એમને એવું આશ્વાસન આપ્યું છે કે જળ, જંગલ, જમીન માટે લડતા દેશના આદિવાસી ખેડૂતો પણ તમારી સાથે જ છે, તમે તમારી લડત ચાલુ રાખજાે.આવનારા સમયમાં દેશના ખેડૂતો એક થઈ સંવિધાનીક અધિકારો માટે લડત લડશે.આંદોલનને સમર્થન આપવા બદલ રાકેશ ટિકૈતે અમારો આભાર પણ માન્યો હતો. છોટુભાઈ વસાવાએ સરકારને ચેતવણી આપતા એમ જણાવ્યું હતું કે જાે કિસાન નેતા મહેન્દ્રસિંહ ટિકૈતના પુત્ર રાકેશ ટિકૈતને એક ખરોચ પણ આવી તો આખો આદીવાસી સમાજ સડક પર ઉતરી ખુલ્લો વિરોધ કરશે.આ આંદોલન ગુજરાતમાં પણ શરૂ થઈ શકે છે.કૃષિ કાયદાને લઈ છેલ્લા ૬૦ દિવસ કરતા વધુ દિવસોથી કિસાન સંગઠનો દિલ્હીની ગાજીપુર બોર્ડર પર આંદોલન ચલાવી રહ્યા છે.૨૬ જાન્યુઆરીના રોજ ટ્રેકટર રેલીમાં ધમાસન થયા બાદ ખેડૂત આંદોલનમાં હવે નવા વળાંકો આવી રહ્યા છે.ખેડૂતોની રેલીમાં ધમાસન થતા ૨ કિસાન સંગઠનોએ આંદોલનથી છેડો ફાડી નાખ્યો હતો.તો બીજી તરફ દિલ્હી અને ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા કિસાન સંગઠનના આગેવાનો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.જેના કારણે આંદોલન પૂરું થઈ જશે એવા એંધાણ વર્તાઈ રહ્યા છે.