મધ્યપ્રદેશ-

ઝાંસી હાઈવે પર બસનો અકસ્માત થતા 24થી વધારે મજૂર ઈજાગ્રસ્ત થયા છે. આ તમામ ઈજાગ્રસ્તોને જયારોગ્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે 1 મજૂરનું મૃત્યું પણ થયું છે. દિલ્હીમાં સોમવારથી લૉકડાઉન લાગવાથી તમામ મજૂરો પોતાના વતને બસ મારફતે પોતાના વતન પરત ફરી રહ્યા હતા. જોકે, તે દરમિયાન જ બસે સંતુલન ગુમાવતા બસ પલટી ગઈ હતી, જેના કારણે 24થી વધારે પ્રવાસીઓ ઈજાગ્રસ્ત થયા હતા.

મળતી માહિતી મુજબ આ તમામ મજૂર બસમાં સવાર થઈને દિલ્હીથી ટીકમગઢ જઈ રહ્યા હતા. ઘટનાની સૂચના મળતા રાહત દળ અને બિલૌઆ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આપને જણાવી દઈએ કે, દિલ્હીમાં કોરોનાના કહેરના કારણે સોમવારે રાતથી લૉકડાઉન લગાવવામાં આવ્યું છે, જેના કારણે દિલ્હીથી ફરી એક વાર પ્રવાસી મજૂરો પોતાના વતન પરત ફરી રહ્યા છે. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા મજૂરો પણ પોતાના વતન પરત જઈ રહ્યા હતા.