વડોદરા, તા.૩૧
વડોદરાના લાલબાગ પાસે આવેલ ભારતીય રેલ એકેડેમીના ૭૦મા સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દિલ્હી મેટ્રોરેલ કોર્પોેરેશનના પ્રબંધક નિર્દેશક મંગુસિંહને વિશિષ્ટ સ્નાતક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારતીય રેલ રાષ્ટ્રીય રેલ અકાદમીના ૭૦મા સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગાંધીનગર આઈઆઈટીના નિર્દેશક એસ.કે.જૈન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ગત વર્ષની જેમ આ વર્ષે પણ અકાદમીના સ્નાતક પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ પુરસ્કાર દિલ્હી મેટ્રોરેલ કોર્પોેરેશનના નિર્દેશક મંગુસિંહને એનાયત કરાયો હતો, જે ભારતીય રેલ એન્જિનિયરિંગ સેવા ૧૯૮૧ બેચના અધિકારી છે. આ કાર્યક્રમમાં અતિથિવિશેષ તરીકે મસુરી સ્થિત લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પ્રશાસન અકાદમીના નિર્દેશક ડો. સંજીવ ચોપડા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગત વર્ષે વિભિન્ન પ્રશિક્ષણ કાર્યક્રમોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments