વડોદરા, તા.૩૧

વડોદરાના લાલબાગ પાસે આવેલ ભારતીય રેલ એકેડેમીના ૭૦મા સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દિલ્હી મેટ્રોરેલ કોર્પોેરેશનના પ્રબંધક નિર્દેશક મંગુસિંહને વિશિષ્ટ સ્નાતક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારતીય રેલ રાષ્ટ્રીય રેલ અકાદમીના ૭૦મા સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગાંધીનગર આઈઆઈટીના નિર્દેશક એસ.કે.જૈન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ગત વર્ષની જેમ આ વર્ષે પણ અકાદમીના સ્નાતક પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ પુરસ્કાર દિલ્હી મેટ્રોરેલ કોર્પોેરેશનના નિર્દેશક મંગુસિંહને એનાયત કરાયો હતો, જે ભારતીય રેલ એન્જિનિયરિંગ સેવા ૧૯૮૧ બેચના અધિકારી છે. આ કાર્યક્રમમાં અતિથિવિશેષ તરીકે મસુરી સ્થિત લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પ્રશાસન અકાદમીના નિર્દેશક ડો. સંજીવ ચોપડા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગત વર્ષે વિભિન્ન પ્રશિક્ષણ કાર્યક્રમોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.