વડોદર, તા.૧ 

પવિત્ર શ્રાવણમાં આવી રહેલા ભાઈ-બહેનના પવિત્ર સંબંધના પ્રતિકરુપે રક્ષાબંધનો તહેવાર સોમવારના હોય આ તહેવારની ઉજવણી સયાજી હોસ્પિટલમાં ટ્રેઈન્ડ ર્નસિસ એસોસિએશન દ્વારા નવા નિમણૂંક થયેલ ઈન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટ ડો. રંજન ઐયર તથા કોવિડ-૧૯ના સયાજી હોસ્પિટલના એડવાઈઝરી કમિટીના સભ્ય અને સિનિ. તબિબ ડો. મીનું પટેલ તથા નર્સ્િંાગ એસોસિયેશનના સેક્રેટરી કમલશે પરમારને રાખડી બાંધી રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી હતી. આ સાથે નવનિયુકત હોસ્પિટલના ઈન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટ ડો.ઐયર વેલકમ કર્યો હતા. આ પ્રસંગે નર્સ્િંાગ એસોસિએશનના પ્રમુખ ઈકબાલ કડીવાલા સેક્રેટરી કમલેશ પરમાર સ્થાનિક નર્સ્િંાગ એસો. પ્રમુખ જાગૃતિ ચૌહાણ સહિતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા અને કોરોના વોરીયર્સ તરીકે ફરજ બજાવતા બહેનો અને નર્સિસ સ્ટાફને સુપ્રિટેન્ડન્ટ ડો. ઐયર તથા એડવાઈઝરી કમિટીના સભ્ય ડો. મીનુ પટેલના હસ્તે રાખડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ બંને મહાનુભાવોએ તથા પ્રમુખ કડીવાલાએ હોસ્પિટલમાં દાખલ કોરોનાના દર્દીઓ સહિત અન્ય દર્દીઓના સ્વાસ્થ્યના સુધારા અંગેની શુભકામના સાથે શુભેચ્છા પાઠવી હતી.