વડોદરા

કોરોનાની મહામારીના કારણે મા શક્તિની ભક્તિ અને આરાધનાનું પર્વ નવરાત્રિ મહોત્સવ આ વરસે પ્રથમ વખત્ેતે ઘરે ગરબાનું આયોજન કરીે કગ્યા છે તેમજ ઘરોમાં જ માતાજીની આરાધના કરી રહ્યા છે. રવિવારે નોમ અને દશેરા ભેગા હોવાથીે શસ્ત્રપૂજા રાજમહેલમાં ગાયકવાડ પરિવાર દ્વારા તેમજ પ્રતાપનગર પોલીસ હેડ ક્વાટર્સમાં અને ખંડેરાવ મંદિરમાં સિક્યરિટી એજન્સી દ્વારા થયું હતુંં તેજ પ્રમાણે રાજપુત સમાજ સહિતના લોકોના ઘરમાં પણ શસ્ત્ર અનેે શમી પૂજન કરવામાં આવ્યું હતું. તે જ પ્રમાણે છેલ્લા ૩૯ વર્ષથી પોલોગ્રાઉન્ડ ખાતે યોજાતા રામલીલા અને રાવણદહનનો કાર્યક્રમની બદલે મહામારીની મુક્તિ માટે હનુમાન યાગનું આયોજન કરવામાં આવ્યું હતું.

શહેરના પોલોગ્રાઉન્ડ ખાતે ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સંઘ દ્વારા છેલ્લાં ૩૯ વર્ષથી રામલીલા અને રાવણદહનનો કાર્યક્રમ યોજવામાં આવે છે, પરંતુ આ વરસે રદ કરવામાં આવ્યો હતોે. ભગવાન રામના ફોટા સમક્ષ સોશિયલ ડિસ્ટન્સ સાથે હનુમાન યાગનું આયોજન કરવામાં આવ્યું હતું. દશેરા પર્વે ફાફડા-જલેબી આરોગવાની પ્રથા છે ત્યારે શહેરમાં ઠેર ઠેર ફાફડા-જલેબીના સ્ટોલ ઊભા થઈ ગયા હતા. જાેકે ફૂલબજારમાં અત્યાર સુધી મંદી જાેવા મળી હતી. તેની વચ્ચેે દશેરા નિમિતે બજારમાં મોટી માત્રામાં ગલગોટાના ફૂલો ખરીદાતા ફૂલબજારમાં તેજી જાેવા મળી હતીે. આમ અસત્ય પર સત્યના વિજયની પ્રતિક તરીકે ઉજવાતા વિજયાદશમી પર્વની સોશિયલ ડિસ્ટન્સ સાથે ઉજવણી કરાઇ હતી. ઉપરાંત કોરોનાના કારણે હાલ મંદીનો માહોલ હોવા છતાં સાડા ત્રણ શુભ મુહૂર્તમાં એક એવા દશેરા પર્વે મોટી સંખ્યામાં નવા વાહનોની ખરીદી કરી હતી. તેમજ નવા તેમજ જૂના વાહનોની પુજા કરી હતી.