દિલ્હી-

અંતરિક્ષ રાજ્ય પ્રધાન ડો. જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, ભારત આગામી વર્ષના ત્રિમાસિક ગાળામાં ચંદ્ર પર પોતાનું ત્રીજુ મિશન ચંદ્રયાન-3 લોન્ચ કરી શકે છે. કોરોના વાયરસની મહામારીના કારણે અંતરિક્ષયાનમાં થોડું મોડું થયું છે. કાર્યની તાજેતરની સ્થિતિને જોતા આગામી વર્ષના ત્રિમાસિક ગાળા સુધી ચંદ્રયાન-3ને લોન્ચ કરવામાં આવશે તેવી શક્યતા છે. ચંદ્રયાન-3 ના કામમાં વિવિધ પ્રક્રિયાઓ જેવી કે રૂપરેખાઓને અંતિમ રૂપ આપવું, પેટા પ્રણાલીઓનું નિર્માણ, એકત્રીકરણ, અવકાશયાન કક્ષાના વિગતવાર પરીક્ષણો અને પૃથ્વી પરના પ્રણાલીના પ્રભાવનું મૂલ્યાંકન કરવા માટેના કેટલાક વિશેષ પરીક્ષણો શામેલ છે. અંતરિક્ષ રાજ્ય પ્રધાન ડો. જીતેન્દ્ર સિંહે કહ્યું હતું કે, કોવિડ -19 મહામારીના કારણે કામની પ્રક્રિયા ખોરવાઈ ગઈ હતી. અનલોકનો સમયગાળો શરૂ થયા પછી, ચંદ્રયાન -3 પર કામ ફરી શરૂ થયું અને હવે આ કામગીરી પૂર્ણ થવાના અંતિમ તબક્કામાં છે.