અંબાજી, તા.૨૫  

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મા અંબાના દર્શન કર્યા હતા. કોરોનાની મહામારીને લઈને ઘણા લાંબા સમય બાદ મા અંબાના દ્વાર ખુલતા મુખ્યમંત્રીએ સજોડે મા અંબાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.સમગ્ર વિશ્વ આ કોરોનાવાયરસની મહામારીમાંથી મુક્ત થાય તેવી મા અંબાને પ્રાર્થના પણ કરી હતી.

અષાઢી બીજ બાદ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સજોડે મા અંબાના દર્શન કર્યા હતા.વહેલી સવારે આરતીમાં ઉપસ્થિત રહી અને આરતીનો પણ લાભ લીધો હતો અને માના દર્શન કર્યા હતા. કોરોના વાયરસની મહામારીને લઈને ઘણા લાંબા સમય બાદ અંબાજી મંદિરના દ્વાર ખુલ્યા હતા. જોકે અષાઢી બીજ બાદ પણ પ્રથમવાર મુખ્યપ્રધાનએ દર્શન કર્યા હતા. આગામી ભાદરવી પૂનમના રોજ યોજાનારા મહામેળાને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મા અંબાને પ્રાર્થના કરી આશા વ્યક્ત કરી હતી કે પરિસ્થિતિ સાનુકૂળ થાય અને ભાદરવીનો મહામેળો યોજાય અને સમગ્ર વિશ્વ આજે કોરોના વાયરસના ભરડામાં છે તેમાંથી મુક્ત થાય એવી મા અંબાજી સમક્ષ પ્રાર્થના કરી હતી.