વડોદરા : રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ૧૪ ફેબ્રુયારીને રવિવારના રોજ મહાનગર પાલિકાઓની ચૂંટણીઓના પ્રચારને માટે વડોદરા આવી રહ્યા છે. તેઓ શહેરમાં ત્રણ સ્થળોએ જાહેરસભાઓ કરનાર છે. જેમાં તરસાલી બસ સ્ટેન્ડ ખાતે સાંજે પાંચ કલાકે, કારેલીબાગ સંગમ ચાર રસ્તા ખાતે સાંજે છ કલાકે અને નિઝામપુરા અતિથિગૃહ ખાતે સાંજે સાત કલાકે જાહેરસભાને સંબોધશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંતર્ગત વડોદરામાં યોજાનાર મુખ્યમંત્રીની જાહેર સભાઓમાં વડોદરા મહાનગર પાલિકાના જે તે અને આસપાસના વોર્ડના ઉમેદવારો ઉપસ્થિત રહેશે. મુ.મંત્રીની આ જાહેરસભાઓમાં તેઓની સાથે વડોદરા શહેર ભાજપના અધ્યક્ષ ડો.વિજય શાહ અને અન્ય હોદ્દેદારો, સ્થાનિક ધારાસભ્યો ,સાંસદ વગેરે જાેડાશે. મુ.મંત્રીની સભાઓને લઈને શહેર ભાજપ દ્વારા જાેરશોરથી તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.વધુને વધુ ભીડ એકથી કરવાના પ્રયાસો કરાયા છે.