અમદાવાદ-

આગામી સમયમાં શરુ થનારી લગ્નસરા પૂર્વે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યમાં હવે લગ્ન સમારંભમાં 100ને બદલે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ 200 લોકોની છૂટ અપાશે. પરંતુ આ છૂટછાટમાં પણ માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનું પાલન કરવાનું રહેશે. આ છૂટછાટનો અમલ આવતી કાલ 3 નવેમ્બરથી રાજ્યભરમાં થશે. જો કે બંધ હોલમાં આવા સમારંભ યોજાનાર હોય તો હોલની કેપેસિટીના 50 ટકા સુધી જ લોકોની છૂટ અપાશે.