દિલ્હી-

ચીનની આર્મીએ અણાચલ પ્રદેશના સરહદી વિસ્તારમાંથી પાંચ ભારતીયોનુ અપહરણ કરી લીધુ હોવાનો દાવો સાચો ઠર્યેા છે. વિતેલા દિવસમાં અણાચલ પ્રદેશ કોંગ્રેસના ધારાસભ્ય નિનોન્ગ એરિંગે આ અંગે દાવો કર્યેા હતો, જેને તાજેતરમાં કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ સાચો ઠેરવ્યો છે. તેમણે કહ્યુ કે ચીની સેનાએ આ મુદ્દે ખાતરી પૂરાવી હતી કે અણાચલ પ્રદેશથી ગુમ થયેલા પાંચ યુવકો એમના કબજામાં છે.

કિરેન રિજિજૂએ ટીટ કરી હતી કે ચીની સેના પીએલએને ભારતીય સેના દ્રારા હોટલાઇન પર મોકલેલા સંદેશના જવાબમાં આ માહિતી મળી હતી. ચીની સેનાએ ખાતરી પૂરાવી હતી કે ગુમ યુવકો તેના વિસ્તારમાં મળ્યા હતા. જોકે પાંચ યુવાનોને ભારત મોકલવાની પ્રક્રિયા શ કરવામાં આવી છે. આ મુદ્દે પહેલેથી જ અણાચલ પ્રદેશ કોંગ્રેસના ધારાસભ્ય એરિંગે દાવો કરી ભારત સરકારને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.