શહેરના વિવિધ વિસ્તારમાં છેલ્લા ચાર માસથી ભૂવા પડવાનો સિલસિલો ચાલુ રહ્યો હોવા છતાં નઘરોળ પાલિકા તંત્ર દ્વારા કોઈ જ કાર્યાવાહી હાથ ધરવામાં આવી નથી. નગરજનો હેરાન-પરેશાન છે. ખાડાઓને કારણે અનેક નાના અકસ્માતો રોજ બને છે ત્યારે મોટો અકસ્માત થશે તો જવાબદારી કોણી?