અમદાવાદ, નવજાત પાંચ મહિનાના મોરબીના બાળકને એકાએક શ્વાસ લેવામાં તકલીફ ઉભી થઇ હતી અને એક ક્ષણે તો હૃદય પણ ધબકતુ બંધ થઇ ગયું હતું. જાે કે, સિવિલ હોસ્પિટલના તબીબોએ અત્યંત જાેખમ ભરેલી બ્રોન્કોજેનિક ગાંઠની સર્જરી કરી બાળકને નવજીવન આપ્યું છે. મોરબીમાં રહેતા શૈલેષભાઈ રાઠવાને બાળકોનો જન્મ થતા પરિવારમાં ઉમંગનો માહોલ છવાયો હતો, જાે કે બાળક રાજવીર ૫ મહિનાનું થયુ અને હજુ પાપા- પગલી માંડતા પણ ન શીખ્યુ હતુને અચાનક જ શ્વાસલેવામાં તકલીફ પડવા લાગી હતી. જાે કે પરિવારે બાળકને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપી પરંતુ ત્યા ઓક્સિજન પર રાખવા માં આવ્યો હતો. જાે કે રાજવીરની હાલત સમય જતા વધુ નાજુક થવા લાગી જેથી સારી સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તેને રીફર કર્યો હતો. ૫ મહિનાના નવજાત રાજવીરને તેમના માતા-પિતા સિવિલમાં શ્વાસ લેવામાં પડતી તકલીફની ફરિયાદ સાથે લાવ્યા હતા. જાે કે અચાનક શ્વાસ લેવામાં પડતી તકલીફ વધી ગઇ અને હ્યદયના ઘબકારા અપ્રમાણસર બન્યા હતા. તબીબી સારવાર ચાલી રહી હતી એવામાં એક તબક્કે હ્યદયના ધબકારા બંધ પડી ગયા. જાે કે, યુ.એન.મહેતા હ્યદયરોગ હોસ્પિટલના તબીબોની સમયસૂચકતા ભરી સારવાર અને શ્રેષ્ઠ પ્રયત્નો દ્વારા ઝ્રઁઇ અને ઇન્જેકશન આપી રાજવીરના હ્યદયને પુનઃધબકતુ કરવામાં આવ્યું જે એક ચમકાત્કાર થી ઓછુ ન હતુ! રાજવીરના હ્યદયના ધબકારા નાજૂક બનતા યુ.એન.મહેતા હાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. જ્યાં નાની એટ્રીઅલ સેપ્ટલ ખામીની જાણ થઇ. સી.ટી. સ્કેન કરાતા જાણવા મળ્યુ કે છાતીના ભાગમાં ૬*૫*૪ સે.મી.ની મહાકાય ગાંઠ જાેવા મળી જે રાજવીરના ફેફસા અને મુખ્ય શ્વાસનળી ઉપર દબાણ ઉભુ કરી રહી હતી જે કારણોસર જ રાજવીરને શ્વાસ લેવામાં ઘણી તકલીફ અનુભવાઇ રહી હતી. રાજવીરની સ્વાસ્થ્ય સ્થિતિ નિયંત્રણમાં આવતા તરત જ તેની બ્રોન્કોજેનિક ગાંઠના સારવારની આક્સમિક જરૂરિયાત ઉભી થઇ. આ પ્રકારની સર્જરીમાં શ્વાસનળીથી જાેડાયેલી પાણીની ગાંઠ જાેવા મળે છે જે જન્મજાત જ હોય છે પરંતુ સમય જતા તેના કદમાં વધારો થતો જાય છે.જેની સમયસર સર્જરી કરવામાં ન આવે તો બાળકના જીવનું જાેખમ રહેલું હોય છે. આ પ્રકારની સર્જરીને અત્યંત જાેખમી માનવામાં આવે છે. બ્રોન્કોજેનિક ગાંઠની સર્જરી વિશેની સમગ્ર ગંભીરતા તબીબો દ્વારા રાજવીરના માતા-પિતાને સમજાવવામાં આવી જે સાંભળી રાઠવા પરિવાર ગભરાયો હતો. બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જાેષી અને મદદનીશ પ્રાધ્યાપક ડો.મહેશ વાઘેલાએ રાજવીરની સર્જરી કરવાનું બીંડુ ઉપાડીને નવજીવન બક્ષવા કટિબધ્ધ થયા. સર્જરી દરિમયાન ૬*૫*૪ સેમીની વિશાળકાય ગાંઠ દૂર કરવામાં આવી . આ ગાંઠ ફેફસા અને શ્વાસનળી વચ્ચે દબાયેલી હતી જે કારણેસર જ રાજવીરને શ્વાસ લેવામાં હાલાકી ભોગવવી પડી રહી હતી. 

બ્રોન્કોજેનિક સિસ્ટ શું છે ?

બાળકનો માતાના ગર્ભમાં જ્યારે વિકાસ થતો હોય છે ત્યારે શ્વાસનળીની રચના દરમિયાન શરીરમાં ઘટકો છૂટા પડતા હોય છે. જૂજ કિસ્સામાં ઘટકો શ્વાસનળીની બહાર પડી જતા ગાંઠ ની રચના થવા લાગે છે જે સમય જતા વિશાળકાય સ્વરૂપ ઘારણ કરે છે. અમૂક કિસ્માં આ ગાંઠમાં જાે પાણી ભરાઇ જાય અથવા ઇન્ફેક્સન લાગે ત્યારે અન્ય અંગોમાં તે દબાણ ઉતપન્ન કરે છે. જે કારણોસર દર્દી અત્યંત કપરી પરિસ્થિતિમાં મૂકાઇ જાય છે તથા આવા કિસ્સામાં જીવ ગુમાવવાનું પણ જાેખમ રહેલું હોય છે. આ પ્રકારના કિસ્સા ૪૦ થી ૫૦ હજારે એક બાળકમાં જાેવા મળે છે.