જમ્મુ કાશ્મીર-

જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. ઉલ્લેખનીય છે કે સુરક્ષાદળોને આ વિસ્તારમાં બેછી ત્રણ આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી. ત્યારે આ બાતમીનાં આધારે સેનાએ બેથી ત્રણ આતંકવાદીઓ ઘેરાયા છે.સાથે સાથે સેનાને અનંતનાગમાં ત્રણ આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. જે બાદ પોલીસ, સેના અને રાષ્ટ્રીય રાયફલના જવાનો સર્ચ ઓપરેશનમાં જોડાયા.

જે દરમ્યાન આતંકવાદીએ સેના પર ફાયરિંગ કર્યુ હતુ. જેથી સેનાએ મોર્ચો સંભાળ્યો હતો. સુરક્ષાદળઓએ આતંકવાદીઓને ઠાર કરવા ઓપરેશન તેજ કર્યુ છે. મહત્વપૂર્ણ છે કે, આ પહેલ સોપોરમાં સેનાએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. જે દરમ્યાન આતંકવાદીઓ પાસેથી મોટી સંખ્યામાં હથિયાર મળી આવ્યા હતા.