અમદાવાદ-

અમદાવાદમાં કપડાના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગમાં ૯ જિંદગીઓ હોમી ગઈ છે. પ્ર્તએય્ક મૃતકના પરિવારને સરકાર દ્વારા ૪ લાખની સહાય જાહેર કરવામાં આવી છે. તો સાથે આ ઘટનાની યોગ્ય તપાસ અન તપાસ શ્રમ રોજગાર સચિવ અને GPCBના ચેરમેનને તપાસ સોંપી છે.

વધુમાં મુખ્યમંત્રી રુપાણીએ જણાવ્યું હતું કે, આ એક દુઃખદ છે. ઘટનામાં ભોગ બનેલા પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરુ છું અને તમના પરિવારજનોને સંત્વના આપું છું. સાથે મૃત્યુ પામેલ લોકોના દરેક પરિવારની 4 લાખની રાજ્ય સરકારની સહાય આપવામાં આવશે. 

વધુમાં તેમને આગની દુર્ઘટનાની તાત્કાલિક તપાસ માટે બે ઉચ્ચ અધિકારીને જવાબદારી પણ સોંપી છે. શ્રમ રોજગાર અધિક સચિવ વિપુલ મિત્રા અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના ચેરમેન સંજીવકુમાર આ આગની ઘટનાની તપાસ કરશે.