ગાધીનગર-

જન સ્મોલ ફાઇનાન્સ બેંકની ગુજરાત સ્થિત 15 શાખાઓનું ઇ-લોકાર્પણ ગાંધીનગરથી કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરી ભારતને ફાઈવ ટ્રિલિયન ડોલર ઇકોનોમિ બનાવવાનો જે લક્ષ્ય લઈને ચાલી રહ્યા છે તેમાં આવા નાના માણસો સ્વરોજગાર કરનારાઓ બેન્કોમાંથી લોન સહાય મેળવી પોતાનું યોગદાન આપી શકશે. નાના માણસોની મોટી બેંક તરીકે રાજ્યમાં જન સ્મોલ ફાયનાન્સ બેંક કાર્યરત રહીને સામાન્ય માનવી નાના સ્વરોજગાર કરનારાઓને નાણાં સહાય પૂરી પાડવામાં રાજ્ય સરકારની યોજનાઓમાં સહયોગ કરે તેવું સૂચન પણ મુખ્યમંત્રી એ કર્યું હતું. આ સંદર્ભમાં વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનામાં મહિલા જૂથોને ધિરાણ સહાય આપવામાં બેંકના સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી. ખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે જન સ્મોલ ફાઇનાન્સ બેન્કની 15 ઇ - શાખાઓનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેઓએ જણાવ્યું હતું કે, આઇ-ટી રિટર્ન, મોર્ગેજ કે જી.એસ.ટી. નંબર ન ધરાવતા નાના માણસોને નાનું ધિરાણ આપતી બેંક વર્તમાન સમયની માંગ છે. દેશના અર્થતંત્રને ફાઇવ ટ્રિલીયન ડોલર ઇકોનોમી બનાવવા માટે નાના માણસોના હાથ સુધી ધિરાણ-મુડી પહોચે આવશ્યક છે.