રાજકોટ-

રાજ્યના મુખ્યમંત્રી દ્વારા રાજકોટ વિકાસના કામોનું ડિજિટલ લોકાર્પણ ખાતમુહૂર્ત અન્વયે ૬૮.૮૮ કરોડ ના જે કામો ના ખાત મુહૂર્ત કર્યા તેમાં અમૃત મિશન અંતગર્ત સ્કાડા ટેકનોલોજી યુક્ત 50 એમ એલ ડી નો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને આજી ડેમ પાસે અર્બન ફોરેસ્ટ વિકસાવવા ના કામો નો સમાવેશ થાય છે. 

મુખ્યમંત્રી એ 145 પરિવારોને આવાસ છત્ર પૂરું પાડતી હિંગળાજ નગર આવાસ યોજના માં 15 કરોડ ના ખર્ચે તૈયાર થયેલા આવાસ તેમજ સ્માર્ટ સિટી અન્વયે 40 સ્માર્ટ બસ સ્ટોપ માંથી પ્રથમ તબ્બકે 70 લાખના 10 બસ સ્ટોપ ની ભેટ રાજકોટ ને આપી હતી. તેમણે 3 કરોડ 25 લાખ ના ખર્ચે આજી નદી ઉપરના નવા હાઈ લેવલ બ્રિજ ના કામો પણ રાજકોટ નગરને અર્પણ કર્યા હતા. મુખ્ય મંત્રીએ વિશ્વના ફાસ્ટ ગ્રોઇંગ શહેરોની કેટેગરીમાં રાજકોટ જે નામના મેળવી રહ્યું છે તેને અનુરૂપ વિકાસ આ મહાનગર કરે છે તે માટે અભિનંદન આપ્યા હતા.

રાજ્યમાં કોરોનાનો કહેર છે, ત્યારે કોઈપણ જાહેર કાર્યક્રમ થઈ શકતા નથી, ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી હવે તમામ વિકાસના કામો વીડિયો કોન્ફરન્સ મારફતે કરે છે. આજે મંગળવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ હોમટાઉન રાજકોટમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી 68.88 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતાં.