ગાંધીનગર-

કોરોનાની બેકાબૂ સ્થિતિમાં પોઝિટિવ વિચારો, હિંમત અને આ રોગ સામે લડવા માટે પ્રોત્સાહન જરૂરી છે. જે હેતુસર મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના દર્દીઓ સાથેનો સંવાદ યોજ્યો હતો. આ સાથે ખડે-પગે રહીને પોતાનું કર્તવ્ય નિભાવી રહેલા નર્સિંગ સ્ટાફ તેમજ પેરામેડિકલ સ્ટાફ સાથે પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાત કરી તેમનો ઉત્સાહ બેવડો કર્યો હતો. આ ઉપરાંત તેમને ચેટીચાંદની શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા શહેરોની સ્થિતિ કોરોનામાં વધુ ખરાબ થઈ રહી છે, ત્યારે અહીં પથારીમાં સારવાર લઈ રહેલા કોરોના પેશન્ટની ક્યા પ્રકારની સારવાર હોસ્પિટલ દ્વારા કરવામાં આવી રહી છે તેમજ તેમને ક્યા પ્રકારની તકલીફો પડે છે. તે અંગેનો ચિતાર મુખ્યપ્રધાને વીડિયો કોન્ફરન્સ અંતર્ગત સીધો પેશન્ટ પાસેથી મેળવ્યો હતો. હોસ્પિટલમાં કેવા પ્રકારની સુવિધા પૂરી પાડવામાં આવે છે, તે પણ પેશન્ટને મુખ્યપ્રધાને લાઈવ પૂછ્યું હતું