કર્ણાટક-

કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા ફરી એકવાર કોરોના પોઝિટિવ બન્યા છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ ટિ્‌વટ કરીને જણાવ્યું કે, હળવો તાવ આવ્યા બાદ મારો કોતોના ટેસ્ટ કરાવવામાં આવ્યો અને મારો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જો કે, હું ઠીક છું, ડોકટરોની સલાહથી મને બેંગલુરુની મણિપાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હું તે બધાને વિનંતી કરું છું કે જેઓ થોડો દિવસથી મારા સાથે સંપર્કમાં આવ્યા છે. તેઓએ જાગ્રત રહેવું જોઈએ અને ક્વોરૅન્ટીન રહેવું જોઈએ. ” આપને જણાવી દઈએ કે અગાઉ યેદિયુરપ્પાની કોરોના રિપોર્ટ ગયા વર્ષે 2 ઓગસ્ટે પોઝિટીવ આવ્યો હતો.