અરવલ્લી,બાયડ,તા.૨૦ 

બાયડમાં છેલ્લા કેટલાક વર્ષોથી દશામાના વ્રતની ખૂબ મોટાપાયે ધામધૂમપૂર્વક શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવે છે. દશામાના વ્રત પૂર્વે બાયડના બજારમાં મૂર્તિઓની દુકાનો ઠેર જોવા મળે છે. જોકે આ વખતે કોરોનાનો કહેર હોવાથી દુકાનદારો પણ સુરક્ષાની પુરતી વ્યવસ્થા સાથે મૂર્તિઓનું વેચાણ કરી હતી. મૂર્તિઓનું વેચાણ કરતી વખતે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ અને ભીડ ન થાય તેની પણ કાળજી લેવાઇ હતી. રૂપિયા ૨૦૦થી ૨૦૦૦ રૂપિયા સુધીની મૂર્તિઓનું વેચાણ થયું હતું. આ વર્ષે મૂર્તિના ભાવમાં ૧૦થી ૧૫ ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે તેમ છતાં ભક્તો ઉત્સાહભેર અને હર્ષોલ્લાસ સાથે માતાજીની મૂર્તિ લઈ જાય છે. વ્યાપારી અશોકભાઈ વાઘેલાના જણાવ્યા પ્રમાણે આ વર્ષે બજારમાં જોઈએ તેટલો ઉત્સાહ ભક્તોમાં જોવા મળતો નથી. મૂર્તિ અન્ય જિલ્લાઓમાંથી મૂર્તિકારો દ્વારા બનાવવામાં આવે છે, તે મૂર્તિ મૂર્તિકારો કોરોના સંક્રમિત હોય તો મૂર્તિ ખરીદનાર વેપારીઓ પણ કોરોના સંક્રમિત ન થાય તે માટે લોકોની અને વેપારીઓની સુરક્ષાના ભાગરૂપે અન્ય જિલ્લાઓમાંથી આવતી મૂર્તિઓને સેનેટાઈઝ કરી ટેમ્પોમાંથી ઉતારી વેચાણ અર્થે મૂકવામાં આવી હતી. જેથી મૂર્તિ લેનાર સંક્રમિત થાય નહી અને લોકોનો ઉત્સાહ જળવાઈ રહે દશામાની મૂર્તિઓ ખરીદી ઉત્સાહભેર શ્રદ્ધાળુઓ દશામાના વ્રતની ઉજવણી દરમિયાન કોરોનાનું વૈશ્વિક સંકટ ટળી જાય તેવી પ્રાર્થના સાથે ઉજવણી કરવાનું જણાવી રહ્યા છીએ.