ગાંધીનગર-

ગુજરાતમાં વરસાદે સર્જેલી તારાજીને પગલે રાજ્ય સરકારે ખેડૂતોને નુકસાનીનું વળતર આપવાની જાહેરાત કરી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે જાહેરાત કરી હતી. ગુજરાતમાં અવિરત વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. ત્યારે આ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે રાજ્યમાં શરૂઆતમાં સારો વરસાદ પડ્યો હતો. જાેકે બાદમાં ભારે વરસાદ થવાથી ખેડૂતોને જે પણ નુકસાન થયું છે. 

તેનું વળતર આપવામાં આવશે. ખેડૂતોને જે નુકસાન થયું છે તેનો સર્વે થશે અને નુકસાન મુજબ રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી મળતી સહાય કરવામાં આવશે. રાજ્યમાં અવિરત વરસાદ યથાવત છે. રાજ્યમાં અત્યાર સુધી ૧૨૦ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. જ્યારે કચ્છમાં ૨૫૧.૬૬ ટકા સરેરાશ વરસાદ પડી રહ્યો છે. 

ત્યારે રાહત કમિશનરે આ અંગે માહિતી આપતા રહ્ય્šં કે રાજ્યમાં પરિસ્થિતિ સંપુર્ણ નિયંત્રણ હેઠળ છે. રાજ્યમાં દ્ગડ્ઢઇહ્લની ૧૩ અને જીડ્ઢઇહ્લની ૨ ટીમો તૈનાત છે. જ્યારે દ્ગડ્ઢઇહ્લ-જીડ્ઢઇહ્લની અન્ય ૧૧ ટીમો સ્ટેન્ડ બાય છે. આ ઉપરાંત રાજ્યના ૧૫૪ જળાશયો હાઇ એલર્ટ પર છે. જ્યારે ૧૨ જળાશયો એલર્ટ પર અને ૧૨ જળાશયો વોર્નિંગ પર છે. સતત વરસાદના કારણે રાજ્યની ૬૨ નદીઓ અને ૭૮ મોટા તળાવ ઓવરફ્લો થયા છે.