મોરબી-
મોરબી તાલુકાનો રહેવાસી હત્યાના ગુન્હામાં પુનાની યરવડા જેલમાં બંધ હોય જેમાં પેરોલ પર છૂટ્યા બાદ કેદી નાસી ગયો હતો જાેકે પાકા કામનો કેદી ૩૭ વર્ષ પૂર્વે નાસી ગયો હતો જે મામલે છેક હવે જેલ ગાર્ડે મોરબી તાલુકા મથકમાં ફરિયાદ નોંધાવી છે. યરવડા જેલ એ જ કારાગૃહ છે જેમાં અંગ્રેજાેએ ગાંધીજીને કેદ કર્યા હતા.
વધુમાં થોડા સમય પહેલાં ફિલ્મ સ્ટાર સંજય દત્ત પણ આ જેલમાંથી સજા કાપીને છુટ્યા હતા. આમ યરવડા જેલમાં કેદ મોરબીના આ કેદીની કરતૂત વિશે ૩૭ વર્ષે યરવડાના સત્તાધીશો જાગ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે. માહિતી મુજબ પુનાની યરવડા જેલના ગાર્ડ જીતેન્દ્ર પ્રભાકર બાદલ (ઉ.વ.૪૯) મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે યરવડા જેલ પુણેમાં પાકા કામના કેદી મગન વેલજી મોહનાની રહે શામપર આમરણ વાળો તા. ૧૧-૦૨-૧૯૮૩ થી ૦૩-૦૩ ૧૯૮૩ સુધીના પેરોલ પર છૂટ્યો હતો.
પેરોલ રજા પૂર્ણ થયા બાદ નિયમ મુજબ તે જેલ ખાતે હાજર થયો ના હતો અને કેદી પેરોલ જંપ કરી ફરાર થયો હોય તેવી ફરિયાદ મોરબી તાલુકા મથક ખાતે નોંધાવી છે. પેરોલ જંપ કરી ફરાર થયેલ પાકા કામનો કેદી મહારાષ્ટ્રના ભીવંડી ખાતે હત્યાના ગુન્હાનો સંડોવાયેલ હોય જે કેદી ફરાર થયો હોવાની ફરિયાદ ૩૭ વર્ષ બાદ નોંધાઈ છે
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments