અમદાવાદ, કોરોનાની મહામારી વચ્ચે રાજ્યમાં વાઈબ્રન્ટ સમિટની તૈયારીઓ ચાલી રહી છે. આ તૈયારી વચ્ચે વિદેશમાં ફેલાયેલા કોરોનાના નવા વેરિયન્ટને લઇને કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા દ્વારા વાઈબ્રન્ટ સમિટને મુલતવી રાખવામાં માટે રાજ્ય સરકારને અપીલ કરવામાં આવી છે. અર્જુન મોઢવાડિયાએ એક ટ્વીટ કરીને સરકાર પર નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ યોજીને કોરોના માટે ગુજરાતના દ્વાર ખોલ્યા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. કોરોનાનું સંક્રમણ ફરી ન વધે એટલા માટે તેમણે વાઈબ્રન્ટ સમિટ બંધ રાખવા માટે સરકારને વિનંતી કરી છે. મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, આફ્રિકાની અંદર કોરોનાનો નવો વેરિયન્ટ આવ્યો છે. તે વર્તમાન વેરિયન્ટ કરતા ૧૦૦ ગણી સ્પીડથી એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં પ્રવેશે છે. આ વેરિયન્ટ વિશ્વની અંદર સૌથી ભયજનક વેરિયન્ટ છે. એટલે મારી સરકારને વિનંતી છે કે, આ બાયબ્રન્ટ સમિટ મુલતવી રાખવામાં આવે. મોઢવાડિયાએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, નમસ્તે ટ્રમ્પથી ભાજપ સરકારે કોરોના માટે ગુજરાતના દરવાજા ખોલી દીધા હતા. જેથી આવી ભૂલ બીજીવાર ન કરવામાં આવે. આફ્રિકામાં મળેલા કોરોનાના નવા વેરિયન્ટની ગંભીરતાને જાેઈને વાઈબ્રન્ટ સમિટ સ્થગિત કરવી જાેઇએ.
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments