અમદાવાદ,

જીટીયુની પરિક્ષાને લઇ રાજકીય રમખાણ શરૂ થઇ ગયું છે. સરકાર અને જીટીયુ પરિક્ષા લેવા મક્કમ છે તો વિપક્ષ કોંગ્રેસ પરિક્ષા કદ કરવાની માંગ કરી રહી છે. એનએસયુઆઇ દ્વારા વિરોધ પ્રદર્શન કરાઇ રહ્યું છે. તો બીજી તરફ હવે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ Âટ્‌વટ કરી પરિક્ષા રદ કરી માસ પ્રમોશન આપવાની માંગ કરી છે. આ ઉપરાંત #meritbasepromotionGTU કેમ્પેઇન શરૂ કર્યું છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ટ્વીટ કરતા લખ્યું હતુ કે, વિદ્યાર્થીઓના જીવન સાથે રમત કરવાનું બંધ કરે

સંવેદનહીન સરકાર અને જીટીયુ રાજ્યભરથી આવતા વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રમાં ભેગા થાય ત્યારે તેમના પર કોવીડ-૧૯ના ઉભા થતા જાખમની જવાબદારી કોની? ૨ જુલાઈએ યોજાનારી પરીક્ષા રદ્દ કરી વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે કોરોના મહામારીના સમયમાં લોકોથી દૂર રહી વર્ચ્યુઅલ મિટિંગ અને પ્રેસ કોન્ફરન્સ કરનારી સરકાર કેમ ૨ જુલાઈએ જીટીયુની પરીક્ષા રાખીને વિદ્યાર્થીઓના જીવન સાથે જાખમી રમત કરી રહી છે? અન્ય રાજ્યો માસ પ્રમોશન આપી શકે છે તો કોરોનાથી મોટાપાયે અસરગ્રસ્ત ગુજરાતમાં કેમ નહીં?

કોંગ્રેસ પક્ષની માંગને લઇ જીટીયુ તરફથી કોઇ જવાબ આપવામા આવ્યો નથી, અને પરિક્ષા રદ થશે કે નહી તે હજુ અસમંજસની Âસ્થતિ છે. મહત્વપૂર્ણ છે કે ૨ જૂલાઇના રોજ જીટીયુ દ્વારા પરિક્ષાની શરૂઆત થશે. તે પહેલા કોંગ્રેસ દ્વારા માસ પ્રમોશન કેમ્પેઇન શરૂ કરાયું છે. પરિક્ષા પર ચાલી રહેલી રાજકિય લડાઇમા હાલ વિદ્યાર્થી પરેશાન છે. કારણ કે, તે પરિણામ તૈયાર કરશે કે નહી, અથવા તેઓ વર્તમાન મહામારી વચ્ચે પરિક્ષા આપશે અને કશું થશે તો જવાબદારી કોણી બનશે. તેવા અનેક સવાલ વચ્ચે જીટીયુ પરિક્ષા પર ધમાસાણ ચાલી રÌšં છે.

અમદાવાદ શહેરમાં વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈએ ભારે હોબાળો સર્જ્યો હતો. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં એનએસયુઆઇ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે આગામી ૨ જુલાઈથી યોજાનારી જીટીયુની પરીક્ષાને લઇ વિરોધ દર્શાવવામાં આવ્યો. હતો. કુલપતિના પૂતળાનું દહન કરી એનએસયુઆઈએ વિરોધ કર્યો હતો.