ગાંધીનગર-

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યુ કે, ભાજપે દેશમાં લોકશાહીના મૂલ્યની હત્યા કરી સત્તા મેળવી છે. ભાજપે મણિપુર, ગોવા અને ત્યારબાદ કોરોનામાં પ્રજાની કામગીરી કરવાના બદલે મધ્યપ્રદેશ ની સરકાર તોડવાનું કામ કર્યું. ત્યાર બાદ ગુજરાતમાં ભાજપ દ્વારા રાજ્યસભાની ચૂંટણી વખતે ધારાસભ્યોને ખરીદવામાં આવ્યા.. તેમણે જણાવ્યુ કે,

રાજસ્થાનમાં ભાજપ દ્વારા ચૂંટાયેલી સરકારને પાડવાની કોશિશ કરવામાં આવી રહી છે. રાજ્યપાલ કોના ઈશારે કામ કરે છે તેનો જવાબ ભાજપ દ્વારા આપવો જાેઈએ. અમિત ચાવડાએ ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અંગે પ્રતિક્રિયા આપી હતી. જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, ભાજપને ગુજરાતમાં ભાઈના બદલે ભાઉ મળ્યા છે. ભાજપમાં કોંગ્રેસને છોડીને કેટલાક નેતાઓને હાસિયામાં ધકેલવામાં આવ્યા છે. રાજ્યમાં ભાજપ પોતાની તાકાત પર ચૂંટણી લડવામાં સક્ષમ નથી.