અમદાવાદ-

ઉત્તરપ્રદેશ ધર્માન્તરણ કેસમાં જેલમાં બંધ આરોપી સલ્લાઉદ્દીન દ્વારા ચોંકાવનારા ખુલાસો કરવામાં આવ્યો છે. સલાઉદ્દીને એવો ખુલાસો કર્યો છે કે જે લોકો CAAનો વિરોધ કરતા હતા તે લોકોને છોડાવા માટે તેણે નાણા મોકલ્યા હતા. સમગ્ર મામલે ખુલાસો થયો બાદ પોલીસ પણ ચોંકી ગઈ છે અને તપાસ કરી રહી છે. ઉત્તરપ્રદેશના ધર્માંતરણ કેસમાં નવા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા. વડોદરાના ટ્રસ્ટને દુબઈથી 24 કરોડ રૂપિયા મળ્યાનો ઘટસ્ફોટ થયો છે. 

મળતી માહિતી મુજબ વડોદરા SOG તપાસમાં ભરૂચ અને દિલ્હીના નામાંકિત લોકો, હવાલા ઓપરેટર અને આંગડિયા પેઢી સામેલ છે. પાછલા ત્રણ વર્ષમાં સૌથી વધુ રકમ વિદેશથી આવી છે. મૌલાના ઉમર ગૌતમ બેથી ત્રણ વખત વડોદરા આવ્યા પછી આફમી ટ્રસ્ટમાં વિદેશથી મોટી રકમ જમા થઈ હતી.વડોદરાનો સલાઉદ્દીન શેખ, CAA વિરૂદ્ધના પ્રદર્શન સમયે દિલ્લી ગયાના પુરાવા પણ મળ્યાં છે. FCRA અંતર્ગત 19 કરોડ વિદેશથી મંગાવી તે ઉદ્દેશ્યથી વિપરીત રકમ વાપરવામાં આવી છે. વિધવાઓની સહાય અને મેડિકલ કેમ્પ માટે વિદેશથી દાન મેળવ્યું. પરંતુ રકમ CAAના પ્રદર્શન અને કોમી તોફાનમાં પકડાયેલાને કાનૂની મદદ માટે વાપરી છે.

વડોદરાના ફતેગંજના ક્રિષ્ણદીપ ટાવરના ત્રીજા માળે અદ્યતન ફ્લેટમાં રહેતા સલાઉદ્દીન શેખ અને તેના મળતિયાઓ આફમી ટ્રસ્ટ ચલાવતા હતા. મહમદ ઉમર ગૌતમની દિલ્લીમાં આવેલી દાવાહ નામની NGOના હિસાબની તપાસમાં વડોદરાના સલાઉદ્દીનના આર્થિક વ્યવહાર સામે આવ્યા હતા.વડોદરા પોલીસની તપાસમાં ખુલાસો થયો કે આફમી ટ્રસ્ટના સંચાલકોએ 2017થી અત્યાર સુધી 19 કરોડથી વધુ રકમ હવાલા મારફતે મેળવી હતી. જે પૈકી કેટલીક રકમ સલાઉદ્દીન, મોહમદ ઉમર અને તેના મળતિયાઓએ ટ્રસ્ટીઓની જાણ બહાર ગેરકાયદે ધર્માંતરણ કરવા રૂપિયા મોકલ્યાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ગુજરાત તથા અન્ય રાજ્યોમાં મસ્જિદો તૈયાર કરવા, દિલ્લીમાં CAAના વિરોધ કરતા પ્રદર્શનકારીઓ, કોમી તોફાનમાં પકડાયેલા છોડાવવા ટ્રસ્ટના નાણાંનો દુરૂપયોગ થયો છે. આ ગુનાની તાપસ માટે પોલીસ કમિશનરે SITની રચના કરી છે.