અમદાવાદ,


અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં સાધુબાવાઓની કામલીલાઓ એક પછી એક વાયરલ થઈ રહી છે. ઈડરના પાવાપુરી તીર્થના બે જૈન સાધુઓની કામલીલા વાયરલ થયા બાદ વડતાળ સ્વામિનારાયણ મંદિરના સાધુની કામલીલા વાયરલ થઈ છે. વડતાળ સ્વામિનારાયણ મંદિર ફરી એકવાર વિવાદોમાં સપડાયું છે. વડતાળ સ્વામિનારાયણ મંદિરના સાધુ ભકિત કિશોર સ્વામી સાધુની પ્રાઈવેટ ચેટિંગ વાયરલ થતાં હોબાળો મચી જવા પામ્યો છે. ભકિત કિશોર સ્વામીએ પોતાના મોબાઈલથી એક મહિલા સાથે બીભત્સ ચેટિંગ કર્યું હોવાની માહિતી સામે આવી છે. સાધુ અને મહિલાની પ્રાઈવેટ ચેટિંગના સ્ક્રીનશોટ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થતા વડતાળ સ્વામિનારાયણ મંદિર પર એક મોટું દાઘ લાગ્યો છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, વડતાળ સ્વામિનારાયણ મંદિરના સાધુએ ભગવો પહેર્યો હોવા છતાં તેમને સંસારની મોહમાયા છૂટતી નથી તેવા એક કિસ્સામાં સંસારી મહિલા સાથે તેમની કામલીલાનો પ્રદાર્ફાશ થયો છે. વડતાળ સ્વામિનારાયણ મંદિરના ભકિત કિશોર સ્વામી સાધુની પ્રાઈવેટ ચેટિંગ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. ભÂક્ત કિશોર સ્વામી મહિલા સાથે બીભત્સ ચેટિંગ કરતા રંગેહાથે ઝડપાયા છે, એટલું જ નહીં ચેટિંગમાં મોકલેલા ફોટામાં અન્ય એક સાધુ મહિલાના કપડામાં દેખાતા મોટો પ્રશ્નો સર્જાયા છે. મંદિરની અંદર શું ચાલી રÌšં છે તે લોકમુખે અલગ અલગ અટકળો ચાલી રહી છે. વડતાળ સ્વામિનારાયણ મંદિરના ભકિત કિશોર સ્વામીના મહિલા સાથે તેમના ફોટો પણ વાયરલ થયા છે. સ્વામિનારાયણ સાધુનું નામ ત્યાગ વલ્લભ છે, પરંતુ ભગવો પહેર્યો હોવા છતાં તેઓ મહિલાનો ત્યાગ કરી શક્્યા નથી.

આ ઘટના પછી સંસાર છોડીને સાધુ બનેલા આવા પાંખડી લોકોને લઈ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે જા તેઓ સંસારની મોહમાયા છોડી ના શકતા હોય તો મંદિરોમાં રહીને વૈભવી એશોઆરામની જિંદગી જીવી મહિલાઓ સાથે કામલીલા કરવાનો શું મતલબ છે? એટલું જ નહીં, વડતાળ સ્વામિનારાયણ મંદિરના ભકિત કિશોર સ્વામી સાધુના પ્રાઇવેટ ચેટિંગ વાયરલ થયું છે જેમાં સાધુ મહિલા સાથે એટલી હદે ગંદી વાતો કરે છે કે સાંભળી કે વાંચીને ધ્રુણા ઉપજે તેમ છે. સ્વામિનારાયણ મંદિરના ભકિત કિશોર સ્વામી ખુલ્લેઆમ મહિલાની સાથે અગતપળો માણવાની પણ વાતો કરે છે. બીજા એક સાધુ મહિલાના કપડામાં શોભી રહ્યા છે. એટલું જ નહીં, મહિલા સાથે તેમના ફોટો પણ વાયરલ થયા છે. સાધુના ભગવા કપડા ઉતારી મહિલાના કપડામાં સાધુ શું કરી રહ્યા છે? તે એક મોટો પ્રશ્ન સર્જાયો છે. આ સાધુનું નામ ત્યાગ વલ્લભ છે, પણ મહિલાનો ત્યાગ કરી શકયા નથી. ઘર સંસાર છોડીને સાધુ બનેલા પાંખડીઓ હાલ હિન્દુ ધર્મના સંસ્કાર ભૂલ્યા છે.