અમદાવાદ-

કોરોના વાયરસ મહામારીએ રાજ્યમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે, અનેક અધિકારીઓ અને હોદ્દેદારો પણ તેના શિકાર બની રહ્યા છે. આવા સમયે વધુ એક સિનિયર અધિકારીનો આ મહામારીએ ભોગ લીધો છે.

વડોદરા આમર્સ યુનિટના DIG એમ.કે.નાયક / મહેશ નાયક સાહેબનું પણ કોરોનાથી નિધન થયું હોવાના સમાચાર સાંપડ્યા છે. નાયક સાહેબની અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં કોરોનાની સારવાર ચાલી રહી હતી. અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.