નવી દિલ્હી-

વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના વડા ટેડ્રોસ ગેવ્યેસિસે ચેતવણી આપતા કહ્યુ છે કે, કોરોના વાયરસ હાલમાં તો આપણી વચ્ચેથી જવાનો નથી અને લાંબા સમય સુધી તે રહેવાનો છે.

તેમણે દુનિયાને સતર્ક રહેવા માટે અપીલ કરીને કહ્યુ છે કે, એશિયા અને મિડલ ઈસ્ટના દેશોમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. બીજી તરફ કોરોનાની વેક્સીન પણ આપવામાં આવી રહી છે પરંતુ લોકોએ બેદરકારી દાખવવાની નથી.રોજે રોજ સાવધાની રાખવી જરુરી છે. આ વાયરસન રોકી શકાય છે અને ઘણા દેશો સફળ પણ થયા છે. હવે તેઓ ખુશી મનાવી રહ્યા છે.

તેમણે કહ્યુ છે કે, દુનિયાની ઈકોનોમી ખુલે, વિવિધ દેશો વચ્ચે વેપાર અને મુસાફરી ફરી શરુ થાય તે જાેવાની ઈચ્છા છે પણ જ્યારે કેટલાક દેશોમાં મોતનો આંકડો વધી રહ્યો છે ત્યારે લોકોએ સાવધ રહેવાની જરુર છે.

ટ્રેડોસે કહ્યુ હતુ કે, કોરોના વાયરસનુ સંક્રમણ લાંબા સમય સુધી આપણી વચ્ચે રહેવાનુ છે. પણ તેની સામે હકારાત્મક વલણ અપનાવવુ પડશે. વર્ષની શરુઆતમાં કોરોનાના કેસ ઘડી રહ્યા હતા પણ હવે ફરી સંક્રમણ તેજ બન્યુ છે. તેની સામે સાવધ રહેવાની અને વેક્સીન લેવાની જરુર છે.

દરમિયાનમાં દેશમાં કોરોના વાયરસના વધી રહેલા કેસો વચ્ચે ફરી એક વખતે રેલવેના કોચમાં દર્દીઓની સારવાર કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. હોસ્પિટલોમાં પથારીઓ નથી ત્યારે રેલવે દ્વારા કેટલાક સ્થળોએ ગયા વર્ષે રેલવેના કોચમાં બનાવાયેલા આઈસોલેશન વોર્ડની માંગણી ઉભી થવા માંડી છે. એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રામણે ગુજરાતની બોર્ડરને અડીને આવેલા મહારાષ્ટ્‌ર્ના નંદુરબાર જિલ્લામાં તંત્રે લગભગ ૯૫ કોચ અને ૧૫૦૦ બેડની માંગણી કરી છે.