અમદાવાદ,તા.૧ 

પાછલા વર્ષે ૨૦૧૯માં જૂન અને જુલાઈ મહિનામાં શહેર અને રાજ્યની સૌથી મોટી સિવિલ હોસ્પિટલના ઓપીડીમાં વાઈરલ ફીવર, સીઝનલ ફ્લુ, ડેન્ગ્યુ, ચીકનગુનિયા, મેલેરિયા, ટાઈફોડના ૫૭૩ કેસો સામે આવ્યા હતા. માનશો નહીં પરંતુ આ વર્ષે છેલ્લા બે મહિનામાં હોસ્પિટલમાં ૧૦૦થી ઓછા આવા કેસ નોંધાયા છે.

સિવિલના મેડિકલ સુપ્રિડેન્ટ ડો. એમ.એમ પ્રભાકરે કહ્ય્šં, કોવિડ-૧૯ની મહામારીના કારણે આ આંકડા ઓછા હોઈ શકે છે. તેમણે કહ્ય્šં, શહેરીજનોએ માસ્ક પહેરવાનું, સોશિયલ ડિસ્ટન્સિંગ અને સતત હાથ ધોવા તથા ઘરને ચોખ્ખું રાખીને સ્વચ્છતા પ્રત્યે જાગૃત થયા છે. તેના પરિણામે જૂન-જુલાઈમાં ઈન્ફેક્શનના કેસોમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે. ફેમિલી ફિઝિશિયન્સ ઓફ ઈન્ડિયા સંગઠનના જાેઈન્ટ સેક્રેટરી ડો. પ્રગ્નેશ વચ્છારાજાની પણ તેને કોરોનાની પોઝિટિવ સાઈડ ઈફેક્ટ માની રહ્યા છે. તેઓ કહે છે, શહેરના ડોક્ટર્સને ત્યાં સીઝનલ ફ્લુ અને વાઈરલ ફીવરના કેસોમાં ૫૦ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. માસ્ક અને સેનિટાઈઝર ઉપરાંત શહેરીજનો દ્વારા લેવાતા ઈમ્યુનિટી બૂસ્ટર્સની પણ આ અસર કહી શકાય. જનરલ ફિઝિશિયન ડો. પ્રણવ શાહ કહે છે, આ વર્ષે વાઈરલ ઈન્ફેક્શનના નહીવત કેસો છે. તેઓ કહે છે, હું રોજના જે ૧૦૦ જેટલા દર્દીઓને તપાસું છું તેમાંથી માત્ર અમુકને જ કોરોના સિવાયની બીમારી હોય છે. વર્ષના આ સમય દરમિયાન વકરતા ડેન્ગ્યુના કેસ પણ માત્ર ગણ્યા ગાઠ્યા જ છે. ડો. તુષાર પટેલ (પલ્મોનોલોજિસ્ટ) કહે છે કે, અસ્થમા અને શ્વાસને લગતી બીમારીના દર્દીઓ અડધા થઈ ગયા છે. લોકો ઘરેથી કામ કરી રહ્યા છે, હેલ્થી ખાઈ રહ્યા છે અને બહારના લોકો સાથે ઓછા સંપર્કમાં આવી રહ્યા છે જે મોટું પરિબળ હોઈ શકે છે.