વડોદરા-
આ વર્ષે કોરોના મહામારીને કારણે તમામ ધાર્મિક તહેવારો ઉજવવા પર પ્રતિબંધ મૂક્યો છે. છેલ્લા 39 વર્ષથી યોજાતો રામલીલા રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે નહી. શ્રી રામજીના ફોટા સાથે હનુમાન યાગ હોમાત્મક યજ્ઞ યોજવા માટે નીકા દ્વારા સરકાર પાસે પરવાનગી આપવાની માંગ કરવામાં આવી છે.
સરકારના નિયમો અને કોરોનાની ગાઇડલાઇન મુજબ 50 કમિટી મેમ્બરો ઉપસ્થિત રહેશે.ધાર્મિક તહેવારો ઉજવવા પર પ્રતિબંધઆ અંગે નિકાના પ્રેસિડેન્ટ પ્રવીણ ગુપ્તાએ જણાવ્યું હતું કે, આસુરી શક્તિ પર દૈવી શક્તિનો વિજય રૂપી દશેરા પર્વએ નિકા દ્વારા છેલ્લાં 39 વર્ષોથી પોલોગ્રાઉન્ડ મેદાન ખાતે રામલીલા અને રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવતો હતો. હાલ આ વર્ષે કોરોના મહામારીને કારણે તમામ ધાર્મિક તહેવારો ઉજવવા પર પ્રતિબંધ મૂક્યો છે. વૈશ્વિક મહામારી કોરોનાં નાબૂદ થાય તેવી પ્રાર્થનાનિકા સંસ્થા દ્વારા આ વર્ષે રામલીલા અને રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં નહીં આવે પરંતુ, ડિજીટલ માધ્યમથી ટીવી પર નાગરિકો ઘર બેઠા રામલીલા નિહાળી શકે તે માટે વિચારણા ચાલી રહી છે. પોલોગ્રાઉન્ડ મેદાન પર સીમિત વ્યક્તિઓની ઉપસ્થિતિમાં કોવિડ ગાઈડલાઈન પ્રમાણે હનુમાન ચાલીસા, આરતી,પૂજા અને હવન કરી વૈશ્વિક મહામારી કોરોનાં નાબૂદ થાય તેવી પ્રાર્થના કરવા માટે સરકાર પાસે રજૂઆત કરી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments