નવી દિલ્હી

ભારતમાં કોરોનાના 2,22,315 નવા કેસ આવ્યા પછી કુલ પોઝિટિવ કેસની સંખ્યા 2,67,52,447 થઇ ગઇ છે. 4,454 નવા મૃત્યુના કેસ નોંધાયા પછી મૃત્યુઆંકની કુલ સંખ્યા વધીને 3,02,083 થઈ ગઈ છે. 3,02,544 નવા ડિસ્ચાર્જ થયા પછી કુલ ડિસ્ચાર્જની 2,37,28,011 થઇ છે. દેશમાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 27,20,716 થઇ છે.દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસની 9,42,722 રસી મૂકવામાં આવી છે, જે પછી કુલ રસીકરણનો આંકડો 19,60,51,962 થયો છે.

દેશભરમાં કોરોના વાઇરસના નવા કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં હવે વૈજ્ઞાનિકો પણ ભારપૂર્વક જણાવી રહ્યા છે કે, સપ્ટેમ્બર મહિનાથી કોરોના વાઇરસની ત્રીજી લહેર આવી શકે છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ ત્રીજી લહેર બાળકો માટે ખૂબ જોખમી સાબિત થઈ શકે છે. તેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારથી લઈને રાજ્ય સરકાર પણ સતર્ક થઇ ગયા છે.