અમદાવાદ-

કોરોના વાયરસની મહામારીએ ભારત સહિત સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. આ જીવલેણ સંક્રમણને રોકવા લોકડાઉન લાગુ કરાયુ અને તબક્કામાં છુટછાટ આપી અનલોક પણ કરવામાં આવ્યુ છે. જો કે છુટછાટ આપ્યા બાદ અનલોક-3માં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપી અને ચિંતાજનક ગતિએ વધી રહ્યુ છે. ગુજરાત રાજ્યમાં 28 સપ્ટેમ્બર, 2020ના રોજ કોરોના વાયરસની સ્થિત અંગે એક નજર

આજના નવા કેસ સાથે રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 1,33,219 થઇ છે. સમગ્ર દેશમાં આજે કોરોનાના નવા દર્દીઓની સંખ્યાના મામલે ગુજરાત 20માં ક્રમે આજે રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણથી વધુ 10 લોકોએ જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 3419 થયો છે. ત્યારે બીજી બાજુ સારવાર બાદ 1231 કોરોનાગ્રસ્ત દર્દીઓ સાજા થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી રાજ્યમાં 1.13 લાખથી વધુ કોરોનાગ્રસ્ત દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 84.93 ટકા થયો છે.