દિલ્હી-

કોરોના એ વિશ્વ ની આર્થીક કમ્મર તોડી નાખી છે સાથેજ કહેવાતા વિશ્વ ના વિજ્ઞાન ની પોલ પણ ખુલ્લી પડી ગઈ છે અને કોરોના ને એક વર્ષ વીતવા છતાં રસી તૈયાર કરી શકાય નથી આવા સંજોગોમાં કોઈ જૈવિક હથિયાર હથિયાર નો ઉપયોગ કરે તો વિશ્વ ને બેઠું થતા સદીઓ નીકળી જાય તે હકીકત સામે આવી ચૂકી છે ત્યારે આ બધા વચ્ચે સંયુક્ત રાષ્ટ્રના વિશ્વ ખાદ્ય કાર્યક્રમના કાર્યકારી નિદેશકે ચેતવણી આપી છે કે કોરોના વાયરસના કારણે 2021માં ભૂખમરાની સ્થિતિ આવી શકે છે. વિકાસશીલ દેશથી લઈને વિકસિત દેશની અર્થવ્યવસ્થાને નુકસાન થવાના કારણે આ સ્થિતિનો અંદાજ લગાવાઈ રહ્યો છે. કોરોનાના કારણે 2021માં લોકોની પાસે પૈસા ખુટી જશે અને ધન ખૂટી જવાના કારણે ભૂખમરો પણ ઝડપથી ફેલાશે. ડેવિડ બીસ્લેએ વિશ્વભરના દેશોને મોટી ચેતવણી આપી છે. તેઓએ કહ્યં છે કે અત્યારે વિશ્વ આખું ભૂખમરાની કગાર પર ઉભું છે. યોગ્ય સમયે પગલાં લેવામાં નહીં આવે તો પરિણામ ખરાબ આવી શકે છે. બીસ્લેએ કોરોનાની શરૂઆત થઈ ત્યારે જ ચેતવણી આપી હતી કે આ મહામારીના કારણે દેશમાં ભૂખમરો આવી શકે છે અને હવે ફરીથી આવી રહેલા લોકડાઉન અને કર્ફ્યૂને લઈને ચેતવણી આપવામાં આવી રહી છે.

કોરોના મહામારીને કારણે દેશની અર્થવ્યવસ્થા પડી ભાંગી છે. તેના પ્રકોપના કારણે જમા રકમ પણ ખૂટી પડી છે. તેના કારણે અર્થવ્યવસ્થામાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. લોકોની નોકરીઓ ખોવાઈ છે અને સાથે નાના મોટા કામ કરનારા લોકોના ધંધા ચોપટ થયા છે. કેટલાક દેશોમાં ફરીથી લોકડાઉન કરવામાં આવ્યું છે અને ભવિષ્યમાં તે લંબાય તેવી શક્યતાઓ પણ છે. તેનાથી નક્કી છે કે લોકો પાસે કામ નહીં હોય. કામ નહીં હોય તો આવક પણ નહીં હોય અને આવક વગર ઘર ચલાવવું મુશ્કેલ બની શકે છે આમ યોગ્ય પગલાં ભરવામાં નહિ આવે તો આગામી વર્ષ ખુબજ કંગાળ હશે જેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.