વડોદરા: શહેર-જિલ્લામાં કોરોના રક્ષણાત્મક રસીકરણ સામે કોરોનાની પીછેહટ થતાં આજે પ૪ પોઝિટિવ કોરોના દર્દીઓ નોંધાયા હતા જ્યારે ૫૧ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. વિતેલા છેલ્લા ૨૪ કલાક દરમિયાન એકપણ દર્દીનું સારવાર દરમિયાન મોત ન થતાં કોરોનાનો મૃત્યુઆંક છેલ્લા ૧૫ દિવસથી ૨૪૧ પર સ્થિર રહ્યો હતો.

હાલ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા દર્દીઓમાં ૩૨ દર્દીઓ વેન્ટિલેટર પર, ૯૦ દર્દીઓ ઓક્સિજન પર, જ્યારે ૬૦૦ સુધારા પર હોવાનું તબીબીસૂત્રોએ જણાવ્યું હતું. સેવા સદનની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શહેર-જિલ્લામાં અલગ અલગ વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી ૨૭૪૧ શંકાસ્પદ કોરોનાના લક્ષણ ધરાવતી વ્યક્તિના સેમ્પલ લેવામાં આવતાં ૨૬૮૭ નેગેટિવ અને પ૪ પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતા. આજે આવેલા પ૪ પોઝિટિવમાં ગ્રામ્યમાંથી ૧૨, દક્ષિણ ઝોનમાં ૨૯, ઉત્તર ઝોનમાં ૫, પશ્ચિમ ઝોનમાં ૫, પૂર્વમાં ૩ કેસ નોંધાયા હતા.