ગાંધીનગર-

સચિવાલય બાદ હવે ગાંધીનગર ખાતે સ્વર્ણિમ સંકુલમાં કોરોનાના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. સવારથી જ સ્વર્ણિમ સંકુલમાં સૌપ્રથમ સીએમ કાર્યાલયના કર્મચારીઓ અધિકારીઓ અને ત્યારબાદ અન્ય મંત્રીઓના, કર્મચારીઓના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓને હવે કોરોનાનો રેપીડ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. જુના અને નવા સચિવાલય બાદ સ્વર્ણિમ સંકુલમાં કોરોનાના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. સવારથી શરૂ થયેલા કોરોનાના ટેસ્ટમાં બપોરે 12 વાગ્યા સુધીમાં મુખ્યમંત્રી કાર્યાલયના એક કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી ચુક્યો છે.