વડોદરા : વડોદરા પાલિકાના વર્તમાન બોર્ડમાં મેયરની વરણી વખતે કોરોનાગ્રસ્ત હોઈ ઓનલાઇન હાજરી આપનાર રીટાબેન આચાર્ય, જ્યોતિબેન નીતિન પટેલ અને કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડ તથા ચોથા કાઉન્સિલર હેમીષા ઠક્કર આમ ચાર ચાર કાઉન્સિલરો કોરોના સંક્રમિત બન્યા છે.આ તમામ મેયરના સીધા સંપર્કમાં આવેલા છે. તેમ છતાં આજે પાલિકાની કચેરી ખાતે મેયર,ડેપ્યુટી મેયર અને પક્ષના નેતાને પુષ્પ ગુચ્છ અર્પણ કરવા શુભેચ્છાઓ આપવાને માટે ટોળે ટોળા મેયર કચેરી ખાતે ઉમટી પડતા સોશિયલ ડિસ્ટર્ન્સિંગના ધજાગરા ઉડ્યા હતા.