વડગામ, તા.૨૬                                  

પાલનપુર તાલુકામાં કોરોનાની માહામારીમાં પ્રસંસનીય કામગીરી કરનાર કોરોના વોરિયર્સોનુ સન્માનપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. પાલનપુર તાલુકા પંચાયત ના હોલમાં પાલનપુર ટીડીઓ એ.બી.પરમારના માર્ગદર્શન હેઠળ કોરોનાની માહામારીના સમયે પ્રસંસનીય કામગીરી કરનાર કોરોના વોરિયર્સને સન્માનપત્ર આપી ને સન્માન કરવામાં આવ્યું હતું.જેમા પ્રથમ કાર્યક્રમની શરૂઆતમાં કોરોના ના કારણે મૃત્યુ પામેલા કર્મચારીઓ,વ્યક્તિઓ તથા તાજેતરમાં ચીન દ્વારા કરવામાં આવેલા હૂમલામાં શહીદ થયેલા દેશના જવાનવિરોને બે મિનિટનું મૌન પાળી ને શ્રધ્ધાંજલી આપવા માં આવી હતી અને બાદ માં તાલુકા પંચાયત ના સ્ટાફ તેમજ તલાટીઓને તાલુકા વિકાસ અધિકારી એ.બી‌.પરમાર દ્વારા કોરોના વોરિયર્સ તરીકે કામ કરતા કર્મચારીઓ ને બિરદાવવામાં આવ્યા હતા તેમજ સન્માનપત્ર આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાલનપુર ધારાસભ્ય મહેશભાઇ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી લક્ષ્મીબેન કાળમા વગેરે હાજર રહ્યા હતા.