દિલ્હી-

કોરોનાના સંક્રમણ વચ્ચે સરકારને લાગે છે કે, શિયાળામાં આ વાયરસ વધારે કહેર મચાવશે. જેને લઈને સરકારે અત્યારથી તૈયારીઓ શરુ કરી છે.

કોરોનાના કારણે ઘણા દર્દીઓને ઓક્સિજનની જરુર પડતી હોય છે.આ બાબતને ધ્યાનમાં રાખીને સરકારે દેશમાં ઓક્સિજનની અછત ના સર્જાય તે માટે વિદેશથી એક લાખ મેટ્રિક ટન ઓક્સિજન ખરીદવાની યોજના બનાવી છે.બુધવારે આ માટે એક ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યુ છે.10 ઓક્ટોબરે કેબિનેટ સચિવ સાથે યોજાયેલી બેઠકમાં આ મુદ્દો ચર્ચાયો હતો.એ પછી નક્કી કરાયુ હતુ કે, વિદેશમાંથી પણ ઓક્સિજન ખરીદવામાં આવશે.

ખરીદીની કાર્યવાહી પૂરી થવામાં દોઢેક મહિનાનો સમય લાગી શકે છે.હાલમાં દેશમાં રોજ સાત હજાર મેટ્રિક ટન ઓક્સિજન ઉત્પાદનની ક્ષમતા છે.જેમાંથી 3094 મેટ્રિક ટન ઓક્સિજન કોરોના અને બીજા રોગના દર્દીઓ માટે વપરાય છે.લોકડાઉન બાદ દેશની ઓક્સિજન પ્રોડક્શન ક્ષમતા 6000 ટન હતી.જેમાંથી 1000 ટન જ મેડિકલ યુઝ માટે વપરાતો હતો.જાેકે કોરોના બાદ મેડિકલ યુઝ માટે ઓક્સિજનની માંગ વધી ગઈ છે.બીજી તરફ અનલોક ગાઈડલાઈનના કારણે ઉદ્યોગોમાં પણ ઓક્સિજનનો ઉપયોગ વધ્યો છે.આ સંજાેગોમાં દર્દીઓ માટે ઓક્સિજનની તંગી ના પડે તે માટે સરકારે તૈયારીઓ શરુ કરી દીધી છે. દેશમાં કોરોનાના કુલ દર્દીઓ પૈકી 3.97 ટકા ઓક્સિજન સપોર્ટ પર છે અને 2.46 ટકા દર્દીઓ આઈસીયુમાં છે.