દિલ્લી-

દેશમાં ફરીથી કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યુ છે. ત્યારે હવે મહારાષ્ટ્રના નાગપુરમાં ત્રીજી લહેર આવી ગઈ છે. મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ મંત્રી નીતિન રાઉતે આ અંગે સંકેત આપ્યા છે કે, પ્રશાસન ટૂંક સમયમાં જ સંક્રમણને રોકવા માટે પ્રતિબંધોની જાહેરાત કરશે. કેબિનેટ મંત્રી નીતિન રાઉતે હાલમાં જ અધિકારીઓ સાથેની એક સમીક્ષા બેઠક કરી હતી, જેમાં રેવન્યૂ મિનિસ્ટર, પોલીસ અને સ્વાસ્થ્ય સહિત કેટલાય સરકારી વિભાગના વરિષ્ઠ અધિકારી હાજર રહ્યા હતા. બેઠક બાદ નિતિન રાઉતે કહ્યુ કે, નાગપુરમાં કોરોના વાયરસની ત્રીજી લહેર આવી ગઈ છે. કારણ કે, બે દિવસમાં બમણા કેસો વધી રહ્યા છે.

ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે અને આ બધા વચ્ચે કોવિડ-19ની ત્રીજી લહેરની દસ્તક દેશના આ રાજ્યમાં થઈ ગઈ હોવાનું કહેવાય છે. મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ મંત્રી નીતિન રાઉતે હાલમાં જ પોતાના અધિકારીઓ સાથે એક સમીક્ષા બેઠક કરી હતી. જેમાં રાજસ્વ, પોલીસ અને સ્વાસ્થ્ય સહિત અનેક સરકારી વિભાગોના વરિષ્ઠ પ્રશાસનિક અધિકારીઓ હાજર હતા. બેઠક બાદ નીતિન રાઉતે કહ્યું કે નાગપુરમાં કોરોના વાયરસની ત્રીજી લહેર પોતાના પગ જમાવી ચૂકી છે. કારણ કે બે દિવસમાં બેવડા અંકમાં સંક્રમણના કેસ જોવા મળી રહ્યા છે. છેલ્લા 2-3 દિવસમાં લાગી શકે છે પ્રતિબંધો- ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીતમાં નીતિન રાઉતે કહ્યું કે બેથી ત્રણ દિવસમાં અધિકારીઓ દ્વારા તારીખ નક્કી કર્યા બાદ દુકાનો અને અન્ય પ્રતિષ્ઠાનો પર ફરીથી પ્રતિબંધો લગાવવામાં આવશે. પ્રતિબંધ જરૂરી છે કારણ કે લોકોના જીવન બચાવવા એ અમારું મુખ્ય કર્તવ્ય છે.