અમદાવાદ-

શહેરમાં વધતા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને અમદાવાદ સિટી સિવિલ અને સેશન્સ કોર્ટના પ્રિન્સિપલ જજે હવે પક્ષકાર બાદ વકીલોને પણ કોર્ટમાં ન પ્રવેશવાનો આદેશ કર્યો છે. કોર્ટે જરૂરી કાગળ અને સોગંદનામાં ગ્રાઉન્ડ ફ્લોર પર ડેપ્યુટી રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવાનો આદેશ કર્યો છે. કોર્ટે પોલીસ અધિકારીઓને સરકારી વકીલની કેબીનમાં ન આવવા અને ફોન પર વાતચીત કરવાની સૂચના આપવામાં આવી છે. અનિવાર્ય સંજોગો સિવાય કોર્ટ પરિસરમાં કોઈએ પ્રવેશ કરવો નહીં. આ અંગેનો એક પરિપત્ર મેટ્રો કોર્ટને પણ મોકલી આપવામાં આવ્યો છે. આ અંગે અગાઉ પણ અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા પણ નિર્દેશ જાહેર કરવામાં આવ્યો હતો.