વડોદરા, તા.૨૫ 

જૈન ધર્મમાં વર્ધમાન તપની ઓળીનું ખૂબ મોટું મહત્ત્વ છે. પંજાબ કેશરી આચાર્ય વલ્લભસૂરિ મ.સા.ના સમુદાયના તપસ્વી પૂ. સાધ્વી મોક્ષરત્નાશ્રીજી મ.સા.ની ૯પમી વર્ધમાન તપની ઓળીનું પારણું શ્રી આત્મવલ્લભ મૂર્તિપૂજક જૈન સંઘ પ્રતાપનગર થશે. આ વર્ધમાન તપની ઓળી અંગે જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું છે કે આજે પૂ. મોક્ષરત્નશ્રીજી મ.સા.ને ૯પમી ઓળીનું પારણું કરવવા ગચ્છાધિપતિ આ.ધર્મધુરંધરસૂરિ મ.સા. ૩૦ ટાણા સાથે પારણું કરાવવા સવારે ૭ વાગે વાજતેગાજતે સકળસંઘ સાથે ગુરુભક્ત હિરેન મહેતાના ઘરે પારસકંજ સોસાયટીમાં પધારશે, ત્યાં સાધ્વીજી મ.સા.ને પારણું કરાવવામાં આવશે. આ પ્રસંગે ગચ્છાધિપતિ ધર્મધુરંધરસૂરિ મ.સા. અને આ.વિદ્યયુતરત્નસૂરિ મ.સા. સહિત વિશાળ સાધુ-સાધ્વીઓ પધારશે અને ગુરુદેવ વ્યાખ્યાન ફરમાવશે અને તપનું મહત્ત્વ સમજાવશે.