અમદાવાદ-

અમદાવાદમાં ગુરુવારનો દિવસ જાણે કાળનો કોળિયો બનીને આવ્યો હોય તેમ વહેલી સવારે જ અચાનક જ હોસ્પિટલમાં આગ લાગી અને ત્યારબાદ કોઈપણ દર્દી અથવા હોસ્પિટલ પ્રશાસન કોઈ પણ વસ્તુને સમજે તે પહેલાં જ અચાનક જ આ કે વિકરાળ સ્વરૂપ ધારણ કરી દીધું હતું. તેના કારણે આઠ જેટલા દર્દીઓના કરુણ મોત થયાં હતાં. જો કે, ત્યારબાદ અન્ય દર્દીઓને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા તરત જ svp હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં.

જો કે હાલ એસબીપી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલાં 42 દર્દીઓની સાથે જ ડૉક્ટર્સની ટીમ પણ હાલ સ્ટેન્ડ ટુ કરી દેવામાં આવી છે. તમામ ડોક્ટરોને આદેશ આપી દેવામાં આવ્યાં છે કે, તમામ દર્દીઓની યોગ્ય રીતે સારવાર કરવામાં આવે સાથે જ તેમની તમામ બાબતનું ધ્યાન પણ રાખવામાં આવે.