સુરત

સુરતનાં હજીરા પોર્ટ (એસ્સારપોર્ટ)થી દીવ વચ્ચે ‘ક્રુઝ’ સેવાની શરૂઆત કેન્દ્રીય પોર્ટસ, શીપીંગ અને વોટર વેઝ (સ્વ.હ) મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે તા.૩૧માર્ચના રોજ સાંજે ૪ઃ૩૦ કલાકે હજીરા ખાતેથી વર્ચ્યુઅલી કરવામાં આવશે. દર સોમવારે તથા બુધવારે સાંજે હજીરાથી ઉપડીને ક્રુઝ બીજા દિવસે સવારે દીવ આવશે તથા તે જ દિવસે સાંજે દીવથી ઉપડીને તેના પછીના દિવસે સવારે હજીરા પરત ફરશે.એકબાજુની મુસાફરી માટે અંદાજે ૧૩ થી ૧૪ કલાકનો સમય લાગશે. ૩૦૦ પેસેન્જરની કેપેસીટી ધરાવતા આ ક્રુઝમાં ૧૬ જેટલી કેબીન છે.આ ક્રુઝ અઠવાડીયામાં દીવની બે રાઉન્ડ ટ્રીપ કરશે, તથા શુક્રવાર, શનિવાર અને રવિવારનાં દિવસે સુરત હાઇ-સીમાં મુસાફરી કરાવશે.આક્રુઝ ગેમીંગ લાઉન્જ, વી.આઈ.પી.લાઉન્જ, એન્ટરટેઈનમેન્ટ ઓન ડેક વિગેરે સુવિધાઓથી સજ્જ છે