ગાંધીનગર-

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસની બીજી લહેરે કાળો કહેર મચાવ્યો હતો. રાજ્યમાં સતત કોરોના દર્દીઓની સંખ્યામાં મસમોટો વધારો નોધાઇ રહ્યો હતો.ત્યારે રાજ્ય્માંકોરોના વાઇરસને કાબુ માં લેવા માટે સરકાર દ્વારા નાઈટ કર્ફ્યું સાથે કડક નિયમો લાદવામાં આવ્યા હતા. અને તેના પરિણામ સ્વરૂપ રાજ્યમાં કોરોના કેસમાં મોટો ઘટાડો નોધાયો છે. ત્યારે સરકાર દ્વારા હવે કર્ફ્યુના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેને લઇ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ગૃહ વિભાગના જણાવ્યા અનુસાર હોટેલ રેસ્ટોરન્ટમાં ટેક અવે અને હોમ ડિલિવરી સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધી કરી શકાશે. દુકાનો માટેનો સમય સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધીનો જ રહેશે. રાત્રી કરફ્યુ રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો રહેશે. અને આ જાહેરનામું 4 જૂન સુધી અમલી રહેશે.